સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૩

બાઇબલ કોણે લખ્યું?

“મૂસાએ યહોવાના શબ્દો લખી લીધા.”

નિર્ગમન ૨૪:૪

“દાનિયેલે એક સપનું જોયું. તે પલંગ પર સૂતો હતો ત્યારે તેણે દર્શનો જોયાં. તેણે એ સપનું લખી લીધું. તેણે જે કંઈ જોયું હતું એ બધાનો અહેવાલ નોંધી લીધો.”

દાનિયેલ ૭:૧

“જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે.”

૧ થેસ્સાલોનિકીઓ ૨:​૧૩

‘આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને એ શીખવવા માટે ઉપયોગી છે.’

૨ તિમોથી ૩:​૧૬

“કોઈ પણ ભવિષ્યવાણી ક્યારેય માણસની ઇચ્છા પ્રમાણે કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.”

૨ પિતર ૧:​૨૧