સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

તેઓને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

તેઓને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

 ઈસુએ શીખવ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય માણસોની બધી તકલીફો દૂર કરી દેશે. (માથ્થી ૬:૧૦) તેમણે માથ્થી ૧૩:૪૪-૪૬માં આ બે ઉદાહરણો આપીને સમજાવ્યું કે ઈશ્વરના રાજ્ય વિશે જાણવું કેટલું મહત્ત્વનું છે:

  •   એક માણસને ખેતરમાં કામ કરતી વખતે અચાનક સંતાડેલો ખજાનો મળ્યો.

  •   એક વેપારી સારાં મોતીની શોધમાં નીકળ્યો અને તેને એક ઘણું મૂલ્યવાન મોતી મળ્યું.

 એ બંને માણસોએ મળેલો ખજાનો ખરીદવા માટે ખુશી ખુશી પોતાનું બધું જ વેચી દીધું. એ માણસો એવા લોકોને દર્શાવે છે જેઓ માટે ઈશ્વરનું રાજ્ય ખૂબ કીમતી છે. એના આશીર્વાદો મેળવવા માટે તેઓએ ઘણાં બલિદાન આપ્યાં છે. (લૂક ૧૮:૨૯, ૩૦) આ વીડિયોમાં એક ભાઈ અને બહેનનો અનુભવ જુઓ, જેઓ ઈસુએ આપેલા ઉદાહરણમાંના માણસો જેવા છે.