સ્કીપ ટુ કન્ટેન્ટ

“છેલ્લા દિવસો” કે ‘અંતના સમયની’ નિશાની શું છે?

“છેલ્લા દિવસો” કે ‘અંતના સમયની’ નિશાની શું છે?

શાસ્ત્રમાંથી જવાબ

બાઇબલ એવા બનાવો અને સંજોગોનું વર્ણન કરે છે જે “દુનિયાના અંતના સમયની નિશાની” છે. (માથ્થી ૨૪:૩) બાઇબલ આ સમયને “છેલ્લા દિવસો” કે ‘અંતનો સમય’ કહે છે. (૨ તિમોથી ૩:૧; દાનીયેલ ૮:૧૯) છેલ્લા દિવસો કે અંતના સમય વિશે થયેલી ભવિષ્યવાણીઓની મહત્ત્વની બાબતો નીચે જણાવી છે:

શું આપણે “છેલ્લા દિવસો”માં જીવી રહ્યા છે?

હા. દુનિયાની પરિસ્થિતિ અને બાઇબલમાં જણાવેલી ગણતરીઓ બતાવે છે કે છેલ્લા દિવસો ૧૯૧૪માં શરૂ થયા. એ સમયે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. રાજ્ય દ્વારા સૌથી પહેલું કામ એ થયું કે શેતાન અને તેના ખરાબ દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એટલે શેતાન અને તેના ખરાબ દૂતો પૃથ્વી સિવાય બીજે ક્યાંય કંઈ જ કરી શકતા નથી. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) શેતાનની ખરાબ અસરો માણસજાતના વર્તન અને કાર્યોમાં દેખાઈ આવે છે. જેના લીધે આ છેલ્લા દિવસો “સહન કરવા અઘરા” છે.—૨ તિમોથી ૩:૧.