સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૨ ૨૦૨૦ | આપણા પર દુઃખો કેમ આવે છે?

આપણે કોઈને કોઈ સમયે દુઃખ-તકલીફોનો સામનો કર્યો હશે. બની શકે કે આપણે અથવા આપણાં સગાં-વહાલાં કોઈ બીમારી, અકસ્માત, કુદરતી આફત કે પછી હિંસાનો ભોગ બન્યા હોય.

એ વખતે આપણને થાય છે કે દુઃખ-તકલીફો કેમ આવે છે.

  • અમુક લોકોને લાગે છે કે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. એને કોઈ રોકી ન શકે!

  • અમુક એવું માને છે કે મનુષ્ય પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. તેઓ કહે છે કે આપણે આ જનમમાં કે ગયા જનમમાં કોઈ પાપ કર્યું હશે, જેના લીધે આપણા પર તકલીફો આવે છે.

મોટા ભાગે કોઈ ખરાબ બનાવ બને ત્યારે લોકોનાં મનમાં આવા સવાલો થાય છે.

દુઃખ-તકલીફો વિશે લોકો શું માને છે?

દુઃખ-તકલીફો વિશે બીજા ધર્મો શું માને છે એ જુઓ.

૧ શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

ઈશ્વર વિશે ખોટું શિક્ષણ ફેલાવવામાં આવે છે. એનાથી લોકો છેતરાઈ ગયા છે. ઈશ્વર વિશેનું સત્ય શું છે?

૨ શું દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર છે?

જો દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર હોય, તો એનો અર્થ થાય કે મનુષ્ય એ તકલીફો ઓછી કરી શકે છે.

૩ સારા લોકો પર દુઃખ-તકલીફો કેમ આવે છે?

બાઇબલ એનો જવાબ જાણવા મદદ કરે છે.

૪ શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?

ઈશ્વરે આટલી સુંદર દુનિયા બનાવી, તો પછી શું તે દુઃખ-તકલીફો કાયમ ચાલવા દેશે? જો એમ ન હોય તો પછી આપણે કેમ દુઃખ-તકલીફો સહેવી પડે છે?

૫ શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

બાઇબલ જણાવે છે કે ઈશ્વર કઈ રીતે દુઃખ-તકલીફોનો અંત લાવશે.

તમને આ મદદ કરશે

ભલે ગમે એટલી મુશ્કેલી હોય પણ આપણી પાસે બાઇબલ છે, જેના દ્વારા આપણને મદદ મળશે.